શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326માં જન્મદિવસ નિમિત્તે સાબુ દાનનો નવતર પ્રયોગ
કોરોના મહામારીથી સાબિત થયું છે કે સાબુ વડે હાથ ધોવાથી રોગોના સંક્રમણને રોકી શકાય છે. જે ધ્યાને રાખી શાળામાં સાબુ બેન્ક ની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે નવતર પ્રયોગ તરીકે વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા સાબુ દાનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે વિદ્યાર્થી/વિદ્યાર્થિની કે શિક્ષકોનું જન્મદિવસ હોય કે શુભ પ્રંસગ હોય ત્યારે શાળામાં ચોકલેટની જગ્યાએ સાબુ દાન કરવામાં આવે છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન હાથ ધોવા માટે કરવામાં આવે છે. આમ આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સ્વચ્છતાની સાથે દાન જેવા ગુણોનો પણ વિકાસ થાય છે.
0 comments: