Tuesday, December 26, 2023

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે વીર બાલ દિવસની ઊજવણી

આજ રોજ શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, ઉધના, સુરત ખાતે વીર બાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. સિખ્ખુ ધર્મના દસમાં ગુરુ શ્રી ગોવિંદ સિંહે ધર્મની રક્ષા માટે મોઘલો સામે ઝઝુમ્યા. ગુરુ શ્રી ગોવિદ સિંહે દેશના લોકોને ધર્મ માટે જાગૃત કર્યા. તેમણે મોઘલો દ્વારા જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો વિરોધ કર્યો. 26 મી ડિસેમ્બર 1705 ના દિવસે તેમના બે પુત્રો જોરાવર સિંહ અને ફતેહસિંહ ને મોઘલો એ જીવતા દિવાલમાં ચણી દિધા. ગુરુ ગોવિંદ સિંહ અને તેમના પુત્રોના ત્યાગ અને બલિદાનને યાદ કરવા આપણા વડા પ્રધાનશ્રી એ 2022 ના 26 મી ડિસેમ્બર ને દર વર્ષે ભારતના વીર બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. ગુરુ ગોવિંદ સિંહ, તેમની માતા ગુજરી, તેમના પુત્રોને તેમના બલિદાન અને ત્યાદ માટે હંમેશા લોકો યાદ રાખશે.
Previous Post
Next Post
Related Posts

0 comments: