આજ રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, ઉધના, સુરત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં શિક્ષક શ્રી દિપક સુધાકર સોનાર દ્વારા વિદ્યાર્થીઓને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક નિખિલ વિજય પાટીલ અને IITE ના તાલીમાર્થી કિરીટ ભરતકુમાર પાટીલ દ્વારા શિવ ગર્જના રજૂ કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિની તૃષ્ણા ખત્રી અને શ્રુતિ જેના દ્વારા સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી. શાળાના બેન્ડ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી. એકતા તમે સંસ્કૃતિનાં સમન્વય અંગે આચાર્યશ્રી દ્વારા સમજ આપવામાં આવી હતી.